Friday, May 23, 2025
  • About
  • Careers
  • Contact
  • en English
    • en English
    • gu Gujarati
    • hi Hindi
Sawar Sanj News
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Mahisagar
    • Vadodara
    • Surat
    • Valsad
  • India
    • Politics
  • World
  • Entertainment
  • Business
  • Lifestyle
  • Astro
  • Videos
  • E-paper
  • Login
No Result
View All Result
Sawar Sanj News
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Mahisagar
    • Vadodara
    • Surat
    • Valsad
  • India
    • Politics
  • World
  • Entertainment
  • Business
  • Lifestyle
  • Astro
  • Videos
  • E-paper
No Result
View All Result
Sawar Sanj News
Home India

સીએસસી ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયા

સહકાર સે સમૃદ્ધિ"નાં સ્વપ્નને સાકાર કરવાંની દિશામાં લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણય તરીકે ઓળખાવ્યો હતો

sawarsanjnews by sawarsanjnews
February 2, 2023
in Business, Gujarat, India
0
સીએસસી ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયા
0
SHARES
0
VIEWS

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં સહકારિતા મંત્રાલય, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, નાબાર્ડ અને સીએસસી ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયા
આ એમઓયુ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (પીએસીએસ)ને કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી) દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓ પૂરી પાડવા સક્ષમ બનાવશે

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ આ એમઓયુને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં “સહકાર સે સમૃદ્ધિ”નાં સ્વપ્નને સાકાર કરવાંની દિશામાં લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણય તરીકે ઓળખાવ્યો હતો

આજે થયેલા કરાર મુજબ, પીએસીએસ હવે કોમન સર્વિસ સેન્ટર તરીકે કામ કરી શકશે, તેની સાથે જ પીએસીએસના 13 કરોડ ખેડૂત સભ્યો સહિત ગ્રામીણ વસ્તીને 300થી વધુ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે

દેશની અડધાથી વધુ વસ્તી એક યા બીજી રીતે સહકારી મંડળીઓ સાથે જોડાયેલી છે, આ કારણોસર પીએસીએસની કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) તરીકેની કામગીરી, દેશનાં નાનાંમાં નાનાં ગામડાં સુધી પણ તેની સેવાઓ પૂરી પાડવાની સુવિધા આપશે

પીએસીએસ સહકારી મંડળીઓનો આત્મા છે, લગભગ 20 સેવાઓને જોડીને તેમને બહુહેતુક બનાવવાથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની તકો વધશે

આ નિર્ણયથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ‘સહકાર સે સમૃદ્ધિ’નું સપનું સાકાર કરવામાં અને સહકારી મંડળીઓને ગ્રામીણ વિકાસની કરોડરજ્જુ બનાવવામાં મદદ મળશે, આ સ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં ‘સહકાર સે સમૃદ્ધિ’નાં સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક ઐતિહાસિક નિર્ણય લઈને, પ્રાઇમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (પીએસીએસ)ને કોમન સર્વિસ સેન્ટર્સ દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓ પ્રદાન કરવા સક્ષમ બનાવવા માટે આજે એક સમજૂતીકરાર (એમઓયુ) પર કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ અને કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં હસ્તાક્ષર થયાં હતાં. નવી દિલ્હીમાં સહકારિતા મંત્રાલય, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, નાબાર્ડ અને સીએસસી ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયા હતા. આ પ્રસંગે સહકારિતા રાજ્યમંત્રી શ્રી બી.એલ.વર્મા, સહકારિતા મંત્રાલય અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ, સહકારિતા મંત્રાલય, નાબાર્ડ અને એનસીડીસીના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પ્રત્યેક સમાજ નો ઘટક RSS

પ્રત્યેક સમાજ નો ઘટક RSS

December 30, 2024
મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના પુતળાનું દહન કરવામાં આવ્યું.

મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના પુતળાનું દહન કરવામાં આવ્યું.

December 25, 2024

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકારિતા મંત્રીશ્રીએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, પીએસીએસ સહકારી મંડળીઓનો આત્મા છે અને તેમને આશરે 20 સેવાઓ પૂરી પાડનારાઓ તરીકે બહુહેતુક બનાવવાથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકોમાં વધારો થશે. તેમણે જણાવ્યું હતું કે, ગ્રામીણ અને કૃષિ વિકાસમાં પીએસીએસની ભૂમિકા અને યોગદાન અતિ મહત્ત્વપૂર્ણ છે.

તેમણે આ સમજૂતીને તમામ માટે લાભદાયક સ્થિતિ ગણાવતાં કહ્યું હતું કે, તેનાથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં ‘સહકાર સે સમૃદ્ધિ’નાં સ્વપ્નને સાકાર કરવામાં અને સહકારી મંડળીઓને ગ્રામીણ વિકાસની કરોડરજ્જુ બનાવવામાં મદદ મળશે જ, પણ સાથે-સાથે સહકાર અને ખેડૂતો બંનેને પણ મજબૂત કરવામાં મદદ મળશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, તેનાથી કોમન સર્વિસ સેન્ટર (સીએસસી)ની વિભાવનાને દેશનાં સૌથી નાનાં એકમ સુધી સરળતાથી પહોંચાડવામાં મદદ મળશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશની લગભગ 50 ટકા વસતિ એક યા બીજી રીતે સહકારી મંડળીઓ સાથે સંકળાયેલી છે અને આટલાં મોટાં ક્ષેત્રનાં વિકાસને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અલગ સહકારિતા મંત્રાલયની રચના કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રની સામે પીએસીએસને વ્યવહારિક બનાવવું એ સૌથી મોટી સમસ્યા છે અને અત્યારે પીએસીએસની કામગીરીમાં ઘણાં નવાં આયામો ઉમેરીને નવી શરૂઆત થઈ છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, પેક્સ હવેથી પાણી વિતરણ, સંગ્રહ, બૅન્ક મિત્ર સહિત 20 વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી શકશે. તેમણે જણાવ્યું હતું કે, સૌથી પહેલું અને મુખ્ય કાર્ય સામાન્ય સેવા કેન્દ્રો દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવાઓને પીએસીએસ મારફતે ગ્રામીણ વસતિને ઉપલબ્ધ કરાવવાનું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષનાં બજેટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સહકારી ક્ષેત્ર માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષનાં અંદાજપત્રમાં આગામી પાંચ વર્ષમાં 2 લાખ પીએસીએસ કરવાની અને દરેક પંચાયતમાં બહુહેતુક પીએસીએસ ઊભી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સહકારી ક્ષેત્ર માટે બજેટમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાનો પાયો પણ નાખવામાં આવ્યો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્ર માટે રાષ્ટ્રીય ડેટાબેઝનું નિર્માણ 70 ટકા પૂર્ણ થયું છે. આ ઉપરાંત મૉડલ પેટા કાયદાઓ તૈયાર કરી તમામ હિતધારકો સાથે ચર્ચા કર્યા બાદ તમામ રાજ્યોમાં મોકલી દેવામાં આવ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, આજે થયેલા કરાર મુજબ, પીએસીએસ હવે કોમન સર્વિસ સેન્ટર તરીકે કામ કરી શકશે, આ સાથે જ પીએસીએસના 13 કરોડ ખેડૂત સભ્યો સહિત ગ્રામીણ વસ્તીને 300થી વધુ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેનાથી પીએસીએસની વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં વધારો થશે અને તેમને સ્વનિર્ભર આર્થિક સંસ્થાઓ બનવામાં મદદ મળશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ પહેલથી પીએસીએસ નાગરિકોને સીએસસી યોજનાનાં ડિજિટલ સેવા પોર્ટલ પર લિસ્ટેડ તમામ સેવાઓ પ્રદાન કરવા સક્ષમ બનશે, જેમાં બૅન્કિંગ, વીમો, આધાર નોંધણી/અપડેટ, કાયદાકીય સેવાઓ, કૃષિ ઉપકરણો જેવા કૃષિ ઇનપુટ્સ, પેન કાર્ડ, આઇઆરસીટીસી, રેલવે, બસ અને એર ટિકિટ સાથે સંબંધિત સેવાઓ વગેરે સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે, પીએસીએસ કમ્પ્યુટરાઇઝેશનની હાલ ચાલી રહેલી કેન્દ્ર પ્રાયોજિત યોજના હેઠળ વિકસાવવામાં આવી રહેલા રાષ્ટ્રીય સોફ્ટવેરનો ઉપયોગ પીએસીએસ માટે સીએસસી તરીકે કામ કરવા માટે પણ થશે, જે મોટી સિદ્ધિ હશે.

Previous Post

વડોદરામાં આવેલ ભારતીય રેલવે રાષ્ટ્રીય એકેડેમી દ્વારા પોતાનો 72મો સ્થાપના દિવસ (ફાઉન્ડેશન ડે) ઉજવવામાં આવ્યો

Next Post

પ્રધાનમંત્રીએ કાશીમાં સ્વસ્થ દૃષ્ટિ માટેની ઝુંબેશની પ્રશંસા કરી

Next Post
પ્રધાનમંત્રીએ કાશીમાં સ્વસ્થ દૃષ્ટિ માટેની ઝુંબેશની પ્રશંસા કરી

પ્રધાનમંત્રીએ કાશીમાં સ્વસ્થ દૃષ્ટિ માટેની ઝુંબેશની પ્રશંસા કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

RECOMMENDED NEWS

PSSI Sends Condolences After Another Fan Dies in Football Violence

2 years ago
રામસર સાઇટ્સ પર વર્લ્ડ વેટલેન્ડ ડે 2023ની ઉજવણી

રામસર સાઇટ્સ પર વર્લ્ડ વેટલેન્ડ ડે 2023ની ઉજવણી

2 years ago

Nike Invented Self-Lacing Sneakers Because the Future Is Now

2 years ago
પવિત્ર પોપ ફ્રાન્સિસ દ્વારા મહામહિમ જ્યોર્જ જેકબ કુવાકડને પવિત્ર રોમન કેથોલિક ચર્ચના કાર્ડિનલ બનાવવામાં આવ્યા

પવિત્ર પોપ ફ્રાન્સિસ દ્વારા મહામહિમ જ્યોર્જ જેકબ કુવાકડને પવિત્ર રોમન કેથોલિક ચર્ચના કાર્ડિનલ બનાવવામાં આવ્યા

6 months ago

FOLLOW US

BROWSE BY CATEGORIES

  • Ahmedabad
  • Business
  • Culture
  • Gujarat
  • India
  • Lifestyle
  • Mahisagar
  • National
  • News
  • Opinion
  • Politics
  • Sports
  • Surat
  • Travel
  • Uncategorized
  • Vadodara
  • World

BROWSE BY TOPICS

2018 League Balinese Culture Bali United Budget Travel Champions League Chopper Bike Doctor Terawan Istana Negara Market Stories National Exam Visit Bali

POPULAR NEWS

  • પ્રત્યેક સમાજ નો ઘટક RSS

    પ્રત્યેક સમાજ નો ઘટક RSS

    0 shares
    Share 0 Tweet 0
  • અમદાવાદના CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પાસે એક યુવતીએ મોતની છલાંગ લગાવી

    0 shares
    Share 0 Tweet 0
  • વડોદરામાં આવેલ ભારતીય રેલવે રાષ્ટ્રીય એકેડેમી દ્વારા પોતાનો 72મો સ્થાપના દિવસ (ફાઉન્ડેશન ડે) ઉજવવામાં આવ્યો

    0 shares
    Share 0 Tweet 0
  • લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવને પ્રધાનમંત્રીનો જવાબ

    0 shares
    Share 0 Tweet 0
  • ગૌચરની જમીન ઉપર સુરતમાં ચાલતા ‘છબ છબ’ પાર્કને રૂ.157 કરોડ રૂપિયાની નોટીશ

    0 shares
    Share 0 Tweet 0
Sawar Sanj News

Sawar Sanj News is an online news platform that provides a comprehensive coverage of current affairs in the Indian Subcontinent. The platform covers topics related to politics,Crime, Entertainment, Sports, Business and Technology. It is one of the fastest growing news networks in India.

Follow us on social media:

Recent News

  • પ્રત્યેક સમાજ નો ઘટક RSS
  • મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના પુતળાનું દહન કરવામાં આવ્યું.
  • અષ્ટલક્ષ્મી મહોત્સવના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો

Category

  • Ahmedabad
  • Business
  • Culture
  • Gujarat
  • India
  • Lifestyle
  • Mahisagar
  • National
  • News
  • Opinion
  • Politics
  • Sports
  • Surat
  • Travel
  • Uncategorized
  • Vadodara
  • World

Recent News

પ્રત્યેક સમાજ નો ઘટક RSS

પ્રત્યેક સમાજ નો ઘટક RSS

December 30, 2024
મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના પુતળાનું દહન કરવામાં આવ્યું.

મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના પુતળાનું દહન કરવામાં આવ્યું.

December 25, 2024
  • About
  • Careers
  • Contact

© 2023 Sawar Sanj News - News of All World Title Code : GUJGUJ/17953 Designed & Developed Rtech Digital.

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Mahisagar
    • Vadodara
    • Surat
    • Valsad
  • India
    • Politics
  • World
  • Entertainment
  • Business
  • Lifestyle
  • Astro
  • Videos
  • E-paper

© 2023 Sawar Sanj News - News of All World Title Code : GUJGUJ/17953 Designed & Developed Rtech Digital.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In